Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રૂ. 1.64 લાખ કરોડનું પેકેજ મંજૂર, 30,000 ગામોમાં મોબાઇલ કનેક્ટિવિટી હશેઃ અશ્વિની વૈષ્ણવ

સરકારી ટેલિકોમ કંપની BSNLને ખોટમાંથી બહાર કાઢવા માટે સરકારે રૂ. 1.64 લાખ કરોડનું પેકેજ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત 30,000 ગામડાઓને કનેક્ટિવિટી માટે પણ પ્રયાસો કરવામાં આવશે. સરકારી ટેલિકોમ કંપની BSNLને ખોટમાંથી બહાર કાઢવા માટે સરકારે રૂ. 1.64 લાખ કરોડનું પેકેજ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. વડાપ્નધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી છે
રૂ  1 64 લાખ કરોડનું પેકેજ મંજૂર  30 000 ગામોમાં મોબાઇલ કનેક્ટિવિટી હશેઃ અશ્વિની વૈષ્ણવ
Advertisement
સરકારી ટેલિકોમ કંપની BSNLને ખોટમાંથી બહાર કાઢવા માટે સરકારે રૂ. 1.64 લાખ કરોડનું પેકેજ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત 30,000 ગામડાઓને કનેક્ટિવિટી માટે પણ પ્રયાસો કરવામાં આવશે. સરકારી ટેલિકોમ કંપની BSNLને ખોટમાંથી બહાર કાઢવા માટે સરકારે રૂ. 1.64 લાખ કરોડનું પેકેજ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. 
વડાપ્નધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત બે નિર્ણયો લેવામાં આવ્યા છે. સૌપ્રથમ, BSNL ને પુનઃજીવિત કરવા માટે પેકેજ જારી કરવામાં આવશે. આ ઉપરાંત, તે 29,616 ગામોમાં મોબાઇલ કનેક્ટિવિટી આપવા માટે કામ કરવામાં આવશે, આ એવાં અંતરિયાળ વિસ્તારો છે જ્યાં આ સુવિધા હજુ સુધી પહોંચી નથી. આ માટે સરકાર દ્વારા 26,316 કરોડ રૂપિયાનું સેચ્યુરેશન પેકેજ પણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. 
પીએમ નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર આ વચન આપ્યું હતું. કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે આ બાબતે જાણકારી આપી. તેમણે કહ્યું કે કેબિનેટની બેઠકમાં BSNL અને BBNLના મર્જરને પણ મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે આનાથી બંને કંપનીઓની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને કામ કરવા માટે વધુ સારી સિનર્જી પણ બનશે. આઈટી મંત્રીએ કહ્યું કે દેશભરમાં મોબાઈલ કનેક્ટિવિટી વધારવા માટે 19,722 ટાવર લગાવવામાં આવશે. આવા તમામ ગામોમાં 4G કવરેજ આપવામાં આવશે, જેમાં હાલમાં મોબાઈલ કનેક્ટિવિટીનો અભાવ છે. તેમણે કહ્યું કે સરકાર દેશના દરેક ભાગમાં મોબાઈલ કનેક્ટિવિટી લાવવા માટે પ્રતિબદ્ધ છે. 


એવું માનવામાં આવે છે કે સરકારે આ પગલું બીએસએનએલને ટેલિકોમ ઉદ્યોગમાં ફરી એકવાર સ્થાપિત કરવા માટે ઉઠાવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, રિલાયન્સ જિયો અને વોડા,આઈડિયા દ્વારા 4જી સેવાની ઓછી કિંમતોને કારણે BSNLનો બજાર હિસ્સો નબળો પડ્યો છે. સરકાર વતી, ઓછા વ્યાજના બોન્ડ દ્વારા BSNL પર 30,000 કરોડ રૂપિયાનું દેવું ચૂકવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર BSNLની સતત વધી રહેલી ખોટથી ચિંતિત હતી અને તેને પુનઃજીવિત કરવાનો આ અત્યાર સુધીનો સૌથી મોટો પ્રયાસ છે.
 
Advertisement
Tags :
Advertisement

.

×